pravas

પ્રવાસ

પ્રવાસ મનુષ્ય જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. પ્રવાસ મનોરંજનની સાથે સાથે જ્ઞાન પણ પૂરું પાડે છે. અમારી શાળામાં દરેક વર્ગની વિદ્યાર્થિનીને વર્ષમાં બે વાર પ્રવાસ કરાવવામાં આવે છે. આ પ્રવાસનું સ્થળ વિદ્યાર્થિનીઓની જ્ઞાનવૃતિને પોષનાર પસંદ કરવામાં આવે છે. પ્રવાસમાં શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી તેમજ શિક્ષકો સાથે રહે છે, જેથી વિદ્યાર્થિનીઓની સંભાળ બરાબર લેવાય. આમ, અમારી શાળાનો પ્રવાસ એક શૈક્ષાણિક અને બૌદ્ધિક વિકાસ કરનાર હોય છે.